Rajkot: ભારત સરકારના વન તેમજ જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા "એક પેડ માં કે નામ" અભિયાનનો શુભારંભ કરાયો.
Rajkot: ભારત સરકારના વન તેમજ જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા "એક પેડ માં કે નામ" અભિયાનનો શુભારંભ કરાયો.
ભારત સરકારના વન તેમજ જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા "એક પેડ માં કે નામ" અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ વિશાળ સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં આવેલા તમામ સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાઓ જોડાઈ હતી. શાળાના આચાર્યશ્રીઓ, આદર્શ નિવાસી શાળા કુમાર અને કન્યા તેમજ વિદ્યાર્થીઓ અને છાત્રાઓ દ્રારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી.
Comments
Post a Comment