રાજકોટ જિલ્લામાં 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાનની કામગીરી વેગવંતી.

 રાજકોટ જિલ્લામાં 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાનની કામગીરી વેગવંતી.


રાજકોટ જિલ્લામાં 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાનની કામગીરી વેગવંતી બની રહી છે. ત્યારે ગત તા. ૧૮ના રોજ જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શનમાં તાલુકા શાળા અને બોસમીયા કોલેજના સહયોગથી નિર્મળ ગુજરાત ૨.૦ અન્વયે સ્વચ્છ ભારત મિશન - અર્બન હેઠળ અંદાજિત ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ શાંતિનગર, કાણાકિયા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા સંદર્ભે રેલીમાં જોડાયા હતા. આ તકે વિદ્યાર્થીઓએ સ્વચ્છતા રાખવાના શપથ પણ લીધા હતા. આમ, જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.


Comments